ગોધરા નજીક ભયાનક માર્ગ અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના શાહ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગોધરા નજીક ભયાનક માર્ગ અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના શાહ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે વહેલી સવારે એક હૃદય કંપાવનારી દુર્ઘટના બની હતી. ગોધરાથી થોડે અંતરે સંતરોડ પાસેના ભથવાડા ટોલનાકા નજીક વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા શાહ પરિવારની કાર અચાનક કાબૂ ગુમાવી ફેન્સિંગ રેલિંગને અથડાઈ ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બેઠેલા પાંચેય લોકો કારમાંથી ફંગોળાઈ હાઇવેની સાઇડમાં ફેંકાઈ ગયા હતા.

માહિતી અનુસાર, વડોદરાના આજવા રોડ પર આવેલી ઓમકાર સોસાયટીના રહેવાસી શાહ પરિવાર સવારે કાર દ્વારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યો હતો. કારમાં નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહ એમ પાંચેય લોકો સવાર હતા. ગોધરા નજીક પહોંચતા જ ડ્રાઇવરનો કાર પરથી કાબૂ છૂટતાં કાર રેલિંગ તોડીને રોડની બહાર ફંગોળાઈ હતી.

અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. બચાવદળે તમામ ઇજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ સાથે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ફરજ પરના ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાંચેયને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા.

માહિતી મુજબ, અકસ્માતમાં કારના આગળના ભાગનો સંપૂર્ણ ભંગાર થયો છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ભાગો રોડ પર છિન્નભિન્ન હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ, વધુ ઝડપના કારણે ડ્રાઇવરનો કાબૂ છૂટતાં આ અકસ્માત બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ અકસ્માતે સમગ્ર વિસ્તારને દચકા મારી દીધા છે. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત પરિવારના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી છે અને માર્ગ સુરક્ષા અંગે વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ