જ્યોતિષ શાસ્ત્ર અને કર્મનો સિદ્ધાંત એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. જ્યોતિષ એ બીજું કંઈ નહીં પણ આપણા કર્મોનું આકાશમાં અંકિત થયેલું પ્રતિબિંબ છે.

જ્યોતિષ શાસ્ત્ર અને કર્મનો સિદ્ધાંત એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. જ્યોતિષ એ બીજું કંઈ નહીં પણ આપણા કર્મોનું આકાશમાં અંકિત થયેલું પ્રતિબિંબ છે.

જ્યોતિષ આચાર્ય અશિતજી
સ્થાપક: એકદંતમ્ એસ્ટ્રો સોલ્યુશન્સ (EKADANTAM ASTRO Solutions)
જ્યોતિષ, વાસ્તુ અને અંકશાસ્ત્રના નિષ્ણાત

       EKADANTAM ASTRO SOLUTIONS 
        -9227 101 505 

એકદંતમ્ એસ્ટ્રો સોલ્યુશન્સના સ્થાપક અને નામાંકિત વાસ્તુશાસ્ત્રી , જ્યોતિષશાસ્ત્ર ,અંકશાસ્ત્રના નિષ્ણાત 
જ્યોતિષ આચાર્ય અશિતજી જણાવે છે કે..."કર્મોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેનો જ્યોતિષ સાથેનો સંબંધ નીચે મુજબ છે

1. સંચિત કર્મ (Sanchita Karma)
આ આપણા અનંત જન્મોના કર્મોનો સંગ્રહ છે. તે એક મોટા કર્મોથી ભરેલો ઘડો છે જેમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના કર્મો જમા હોય છે.

જ્યોતિષ સાથે સંબંધ: સંચિત કર્મો એ આપણી કુંડળીમાં પંચમ ભાવ એ સંચિત કર્મ છે પંચમ ભાવમાં રહેલા ગ્રહોની સંભવિત અસરો છે. તે બતાવે છે કે આપણી પાસે કેટલી 'મૂડી' (પુણ્ય) કે 'દેવું' (પાપ) બાકી છે.

2. પ્રારબ્ધ કર્મ (Prarabdha Karma)
સંચિત કર્મમાંથી જે ભાગ આ વર્તમાન જન્મમાં ભોગવવા માટે નક્કી કરવામાં આવ્યો છે, તેને 'પ્રારબ્ધ' કહેવાય છે. જે આપણે નસીબ કે ભાગ્ય તરીકે ઓળખીએ છીએ તે આ જ છે.
જ્યોતિષ સાથે સંબંધ: તમારી જન્મકુંડળી એ તમારા પ્રારબ્ધનો નકશો છે. જન્મકુંડળીમાં નવમું સ્થાન એ વ્યક્તિના પ્રારબ્ધ નું છે જન્મ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય છે, તે તમારા આ જન્મમાં મળનારા સુખ, દુઃખ, આરોગ્ય અને સફળતાનું સૂચન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર ના આધારે પ્રારબ્ધને  જાણી ને યોગ્ય ક્રિયમાણ કર્મ દ્વારા બદલી શકાય છે

3. ક્રિયમાણ કર્મ (Kriyaman Karma)
આ તે કર્મો છે જે આપણે અત્યારે વર્તમાનમાં કરી રહ્યા છીએ. આ આપણી પાસે રહેલી 'સ્વતંત્ર ઈચ્છા' (Free Will) છે. આજના ક્રિયમાણ કર્મો ભવિષ્યમાં સંચિત અને પ્રારબ્ધ બનશે.

જ્યોતિષ સાથે સંબંધ: જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયો (જેમ કે મંત્ર જાપ, દાન, રત્ન ધારણ કરવા) એ ક્રિયમાણ કર્મનો ભાગ છે. ગ્રહો આપણને દિશા બતાવે છે,પણ સાચું અને યોગ્ય કર્મ કરીને આપણે આવનારા સમયને સુધારી શકીએ છીએ.

જ્યોતિષ શાસ્ત્ર અને કર્મ વચ્ચેનો સેતુ
જ્યોતિષશાસ્ત્ર એ કર્મોને સમજવાનું એક માધ્યમ છે:
કુંડળીનું ૫મું સ્થાન સંચિત કર્મ દર્શાવે છે.
કુંડળીનું ૯મું સ્થાન ભાગ્ય (પ્રારબ્ધ) દર્શાવે છે.
કુંડળીનું પહેલું  સ્થાન અને કર્મ સ્થાન આ (ક્રિયમાણ) દર્શાવે છે.
શનિ દેવ: શનિને 'કર્મફળ દાતા' કહેવામાં આવે છે. તે આપણા કર્મો મુજબ આપણને ન્યાય આપે છે.
ટૂંકમાં, પ્રારબ્ધ એ આપણને મળેલું પ્રશ્નપત્ર છે, જ્યારે
ક્રિયમાણ કર્મ એ આપણો ઉત્તર છે. જ્યોતિષ આપણને એ સમજવામાં મદદ કરે છે કે કયા પ્રકારના કર્મોના કારણે અત્યારે આપણે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ અને કયા સત્કર્મો દ્વારા આપણે ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ છીએ.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ