મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં રૂ. ૨૬૮ કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન Aug 03, 2026 રાજકોટ,ભૂતકાળના સંઘર્ષોને વાગોળતા CMનું નિવેદન: 'આજે જીતુભાઈ માટે પડવી જોઈએ જોરદાર તાળીઓ' રાજકોટમાં જનહિત અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુસર મુખ્યમંત્રીના વરદ હસ્તે કુલ રૂ. ૨૬૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યસૂચિ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના સંઘર્ષો અને સમયના પ્રવાહોને યાદ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજકીય અને સામાજિક જીવનમાં પડકારો વચ્ચે કામ કરવું એ સરળ નથી, અને ભૂતકાળની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે નેતાઓએ સક્રિય ભૂમિકા ભજવી છે તેમનું સન્માન થવું જોઈએ. આ સંદર્ભમાં તેમણે જીતુ વાઘાણીનો વિશેષ ઉલ્લેખ કરી જનમેદનીને તેમના સમર્થનમાં તાળીઓ પાડવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રીએ પણ પોતાના વક્તવ્યમાં તાજેતરમાં દિલ્હીના જંતરમંતર ખાતે બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. તેમણે લોકશાહી ઢંગથી વિરોધ કરવાના અધિકાર અને સાંપ્રત પરિસ્થિતિ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી, જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આ કાર્યક્રમથી સ્થાનિક નાગરિકોમાં વિકાસની નવી આશાઓ જાગી છે તેમજ વિવિધ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાની ખાતરી મળી છે.પૂર્વ શિક્ષણમંત્રી દ્વારા દિલ્હીના જંતરમંતરની ઘટનાની સખત શબ્દોમાં આલોચનાઆ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ શિક્ષણમંત્રીએ પોતાના વક્તવ્યમાં તાજેતરમાં દિલ્હીના જંતરમંતર ખાતે બનેલી ઘટના અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી અને લોકશાહી મૂલ્યો તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી પ્રદેશમાં વિકાસની નવી ગતિવિધિઓ વેગવંતી બની છે.મનપાના 13 જેટલા વિકાસકામોનું લોકાર્પણમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમના હસ્તે રાજકોટ મનપાના 13 જેટલા વિકાસકામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેની કુલ કિંમત 153.35 કરોડ હતી. આ ઉપરાંત મનપાના 13 જેટલા વિકાસકામોનું લોકાર્પણ થયું. જેની કુલ કિંમત 94.42 કરોડ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવનર્મિત ઓડિટોરિયમ, ન્યુ લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પછી મુખ્યમંત્રીએ મજાકના મૂડમાં જણાવ્યું હતું કે, આજે જીતુભાઈએ સ્પીચ આપવાની ના પાડી. બીજીવાર આવો ત્યારે રૂ.2509 કરોડના ખાતમુહૂર્ત કરીએ તેવી આશા: મેયર ડૉ. શુક્લઆ કાર્યક્રમમાં નેહલ શુક્લે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, આજે આપણે મહાનગરપાલિકાના 250 કરોડના કામોના ખાતમૂહુર્ત કર્યા છે અને આ કામોનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી આપ જ્યારે આવો ત્યારે બીજા રૂ.2500 કરોડના ખાતમૂહુર્ત કરો તેવી આશા રાખીયે. જેનો જવાબ આપતા મુખ્યમંત્રીએ રાજકોટના મેયર નેહલ શુક્લને ટકોર કરતા જણાવ્યું હતું કે, વિકાસ કામો માટે જેટલું જોશે એટલું આપીશું. અમારા પાસે જેટલું હસે એ આપીશું પણ કામ કવોલિટીવાળું કરજો. Previous Post Next Post