ગુજરાતમાં PM મોદી અને મર્ઝની મહત્વપૂર્ણ બેઠક, શિક્ષણથી સેમિકંડક્ટર સુધી ચાર મહત્વના MoU પર સહમતિ થઈ હસ્તાક્ષર Jan 12, 2026 ગુજરાતમાં આજે ભારત અને જર્મનીના સંબંધોને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી, શિક્ષણ અને આયુર્વેદ સહિતના ક્ષેત્રોમાં 4 મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારત–જર્મની સંબંધોનો નવો અધ્યાય12 જાન્યુઆરી ભારત માટે કૂટનૈતિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ સાબિત થયો. એક તરફ સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદની જયંતી ઉજવી રહ્યો હતો, ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી ભારત અને જર્મનીના દ્વિપક્ષીય સંબંધોનો નવો પાયો નાખવામાં આવ્યો. જર્મન ચાન્સેલરની ભારત યાત્રા દરમિયાન થયેલા આ કરારોની સીધી અસર દેશની સુરક્ષા, શિક્ષણ અને ટેકનિકલ ક્ષમતાઓ પર પડવાની છે.વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ઝ વચ્ચે માત્ર ઔપચારિક ચર્ચા જ નહીં, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખી સંરક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધીના પડકારોને પહોંચી વળવા માટે સ્પષ્ટ રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો. આ 4 મહત્વપૂર્ણ MoUથી બદલાશે સહકારની દિશાઆ હાઈપ્રોફાઈલ બેઠક દરમિયાન વિશ્વભરની નજર ભારત–જર્મની ભાગીદારી પર હતી. બેઠકમાં થયેલા ચાર મુખ્ય MoU આ પ્રમાણે છે:ક્રિટિકલ મિનરલ્સ અને સેમિકંડક્ટર સહકાર – આજના ડિજિટલ યુગમાં મોબાઈલથી લઈને મિસાઈલ સુધી સેમિકંડક્ટર અનિવાર્ય બની ગયા છે. આ ક્ષેત્રમાં જર્મનીનો સહયોગ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાઓને નવી ગતિ આપશે.સંરક્ષણ ક્ષેત્રે સંયુક્ત ઘોષણાપત્ર – બંને દેશો વચ્ચે સંરક્ષણ વેપારને મજબૂત બનાવવા અને સંયુક્ત રોડમેપ તૈયાર કરવા સંમતિ.ઉચ્ચ શિક્ષણ (Higher Education) – ભારતીય વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને સંશોધનના નવા અવસરો ઊભા થશે.આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા – આયુર્વેદને વૈશ્વિક મંચ પર પ્રસ્થાપિત કરવા બંને દેશોએ સહયોગ વધારવાનો નિર્ણય લીધો.વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રે ભારત–જર્મનીનો સહકાર પરસ્પર ભરોસાનું પ્રતીક છે અને આ ભાગીદારી લાંબા ગાળે બંને દેશોને લાભ આપશે. આતંકવાદ અને વૈશ્વિક શાંતિ પર પણ ચર્ચાબેઠક દરમિયાન ચર્ચા માત્ર વેપાર અને ટેકનોલોજી પૂરતી સીમિત રહી નહોતી. વડાપ્રધાન મોદીએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા, તેમજ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના ભારતના વલણને સ્પષ્ટ કર્યું. બંને નેતાઓએ યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી.PM મોદીએ આતંકવાદને માનવતા માટે મોટો ખતરો ગણાવી કહ્યું કે, ભારત સુરક્ષા મુદ્દે દુનિયાને એકસાથે લાવવા પ્રયત્નશીલ છે, જેમાં જર્મની એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે, આજે ભારતમાં 2,000થી વધુ જર્મન કંપનીઓ કાર્યરત છે, જે બંને દેશોના ગાઢ સંબંધોને દર્શાવે છે. ગાંધી અને વિવેકાનંદના વિચારો સાથે જોડાયેલી મુલાકાતવડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરની મુલાકાતને સ્વામી વિવેકાનંદના જન્મદિવસ સાથે જોડતા કહ્યું કે, સ્વામીજીએ ભારત અને જર્મની વચ્ચે દર્શન અને ન્યાયના સંબંધોની વકીલાત કરી હતી.તે જ સમયે ચાન્સેલર મર્ઝે જણાવ્યું કે, તેમણે સવારે મહાત્મા ગાંધી સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના પ્રસિદ્ધ શબ્દો યાદ કર્યા —“જે પરિવર્તન તમે દુનિયામાં જોવા માંગો છો, તે તમે બનો.”જર્મન ચાન્સેલરે અમદાવાદને આધુનિક ભારતનો પાયો ગણાવતા કહ્યું કે, ગાંધીજીએ અહીંથી જ સ્વતંત્રતાના સંઘર્ષની શરૂઆત કરી હતી. Previous Post Next Post