રાજકોટમાં જૂના મનદુઃખે યુવકની હત્યા: 6 શખ્સોનો હુમલો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર Mar 16, 2026 Rajkot શહેરમાં ફરી એકવાર ગુનાખોરીની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં આશરે 6 જેટલા શખ્સોએ મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 150 ફૂટ રિંગ રોડ પરથી અપહરણ કરીને હુમલોમાહિતી અનુસાર, મૃતક ભાવેશ વાણવી પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે સોપાન હાઈટ્સ નજીક બેઠા હતા. થોડા સમય બાદ તેઓ ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ડ્રીમ સિટી નજીક પહોંચતા અજાણ્યા શખ્સો કાર અને બાઈક લઈને તેમની પાછળ આવ્યા હતા. ત્યારબાદ લાકડી, પાઈપ, ધારિયા અને કુહાડી જેવા હથિયારો વડે ભાવેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન ભાવેશના મિત્ર પ્રિન્સને પણ ઇજા પહોંચી હતી.હુમલા પછી આરોપીઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા હતા. થોડા સમય બાદ ગંભીર હાલતમાં તેને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. જૂના મનદુઃખને કારણે હુમલોપોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો જૂના મનદુઃખને કારણે કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ, રસના ચિચોડા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. આ બાબતે કેટલાક લોકોમાં ખાર રહ્યો હતો. તે જ ખાર રાખીને હમીર જોગરાણા સહિતના શખ્સોએ આ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે. માતાનો આક્ષેપ – સમાધાનના બહાને બોલાવી હત્યામૃતક ભાવેશની માતા ગીતાબેન વાણવીએ રડતા રડતા જણાવ્યું હતું કે તેમના દીકરાને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ભાવેશ સમાધાન માટે 2 લાખ રૂપિયા લઈને ગયો હતો. પરંતુ આરોપીઓએ વિશ્વાસઘાત કરીને તેના પર હુમલો કર્યો હતો.માતાએ કહ્યું કે, “મારો દીકરો સમાધાન માટે ગયો હતો, પરંતુ તેમને છેતરીને મારા દીકરા પર હુમલો કર્યો અને મારી નાખ્યો.” આરોપી ઝડપાયા વગર મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસની કાર્યવાહી શરૂઆ સમગ્ર મામલે Gujarat Police દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જૂના મનદુઃખને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયામૃતક ભાવેશ વાણવી પરિણીત હતા અને તેમના પરિવારમાં પત્ની તેમજ બે નાના સંતાનો છે. તેમના બે પુત્રોમાં એકની ઉંમર 7 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 4 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ ઘટનાથી પરિવાર પર આફત તૂટી પડી છે. અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતાસૂત્રો મુજબ ભાવેશ વાણવી અગાઉ પણ કેટલાક વિવાદોમાં રહ્યા હતા. તેમના વિરુદ્ધ અગાઉ ધમકી સંબંધિત ફરિયાદો નોંધાઈ હતી અને એક વખત તેમને પાસા હેઠળ જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. જોકે થોડા સમય પહેલા જ તેઓ જેલમાંથી મુક્ત થયા હતા.આ ઘટના બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. પોલીસ આરોપીઓને ઝડપવા માટે તાબડતોબ તપાસ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. Previous Post Next Post