નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે બિહારમાં 10મી વખત બનશે CM

નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે બિહારમાં 10મી વખત બનશે CM

બિહારમાં રાજકારણમાં આજે મહત્ત્વપૂર્ણ મોરચો જોવા મળ્યો છે. બુધવારે (19 નવેમ્બર, 2025) બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપી દીધું. એ સાથે જ તેમણે બિહારમાં નવી સરકાર રચવાનો દાવો પણ રજૂ કર્યો. એનડીએની બેઠક બાદ ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારની પસંદગી કરવામાં આવી હતી. સમ્રાટ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રજુ કર્યો, જેને NDAના સભ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી.

આ સાથે નીતિશ કુમાર આવતીકાલે 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે પટણાના ગાંધી મેદાનમાં શપથ લેશે અને બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. શપથગ્રહણ સમારોહમાં સૌથી મહત્વપૂર્ણ મહેમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ 243 બેઠકો ધરાવતી વિધાનસભામાં એનડીએએ 202 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે 89 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું, જ્યારે નીતિશ કુમારની પાર્ટી JDUએ 85 બેઠકો પર વિજય મેળવ્યો. ચિરાગ પાસવાનની LJP માત્ર 5 બેઠક પર સીમિત રહી ગઈ. બીજી તરફ, મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સીમિત રહી ગયું.

નવગઠિત સરકારમાં બંને નાયબ મુખ્યમંત્રી ભાજપના નેતાઓ બની રહેશે. ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પાર્ટીનો નેતા અને વિજય કુમાર સિંહાને નાયબ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. સમ્રાટ ચૌધરી બિહારના ઓબીસી વર્ગના મજબૂત નેતા છે, જે તારાપુરથી ત્રણ વાર ચૂંટાયા છે. તેમના પિતા શકુનિ ચૌધરી સાત વખત વિધાનસભામાંથી ચૂંટાયા હતા. વિજય કુમાર સિંહા લખીસરાય મત વિસ્તારથી ચોથીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને વિવિધ વખત મંત્રી, વિધાનસભા સ્પીકર અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.

આ વખતનો શપથગ્રહણ સમારોહ રાજ્ય માટે વિશેષ મહત્વનો છે કારણ કે નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. આ સાથે જ, NDAની બહુમતી સરકાર બિહારની રાજકારણની દૃઢ સ્થિતિને દર્શાવે છે. નવી સરકારના મંત્રીમંડળની રચના માટે મેરેથોન બેઠક ચાલી રહી છે અને દરેક મંત્રાલયની કામગીરી માટે તૈયારી પૂરી થઇ રહી છે.

નિતીશ કુમારના 10મી કાર્યકાળ સાથે જ બિહારનું રાજકારણ નવી દિશામાં આગળ વધશે, રાજ્યની વિકાસ યોજનાઓ અને સામાન્ય જનતાની કલ્યાણકારી યોજનાઓ માટે વિશેષ પ્રાધાન્ય મળશે. વિધાનસભામાં બહુમતી સાથે નીતિશ કુમાર સરકારની મજબૂત સ્થિતિ સાથે કાર્ય શરૂ કરશે, જેના થકી રાજ્યની રાજકીય અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ રીતે, બિહારમાં નીતિશ કુમારનો 10મો કાર્યકાળ શાંતિ અને વિકાસ માટે નવા મોચરાનો આરંભ સાબિત થશે, અને રાજ્યના વિવિધ વિકાસકારી કાર્યક્રમો તથા જનકલ્યાણકારી યોજનાઓ વધુ સક્રિય અને ઝડપી રીતે અમલમાં આવશે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો