વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમજ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના ભાગરૂપે વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વેરાવળ ચોપાટી ખાતે વિશાળ દિવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિર આજ રોજ બપોરે 4.30 થી સાંજે 6.00 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર-સોમનાથ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાશે.

શિબિર દરમિયાન ભાગ લેનાર નાગરિકોને મેદસ્વિતા દૂર કરવા માટેના ખાસ આસનો, પ્રાણાયામ, અને વ્યાયામ કરાવવામાં આવશે. સાથે જ ધ્યાન (મેડિટેશન), કમર સંબંધિત આસનો, તેમજ લાફિંગ થેરાપી જેવા પ્રયોગો પણ કરાવવામાં આવશે.

આ યોગ શિબિરનો હેતુ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો અને શરીર-મનના સંતુલન દ્વારા મેદસ્વિતાને ઘટાડવાનો છે. કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને હાજરી આપવા આહ્વાન કરવામાં આવ્યું છે જેથી ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું સ્વપ્ન સાકાર બની શકે.

You may also like

LPG સંકટ વચ્ચે મોટી રાહત: 46,000 મેટ્રિક ટન ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

LPG સંકટ વચ્ચે મોટી રાહત: 46,000 મેટ્રિક ટન ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી યોજના: LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી યોજના: LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

મીન રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ: ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને ધનલાભના નવા અવસર

મીન રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ: ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને ધનલાભના નવા અવસર