રાજકોટમાં અનૈતિક સંબંધોની શંકાએ કૌટુંબિક કલહનો ભયાનક અંત: પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા પછી આત્મહત્યા કરી Nov 15, 2025 રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં આજે સવારે એક હૃદય કંપાવી દેનારી ઘટના બની. અનૈતિક સંબંધોની શંકાથી ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ પોતે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.કઈ રીતે બની ઘટના?માહિતી મુજબ પત્ની રોજની જેમ યોગા ક્લાસ પૂરો કરીને ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે પતિએ તેનો પીછો કરીને તેને રોકી હતી. તાવમાં આવી ગયેલા પતિએ પત્ની પર ગોળી ચલાવી દીધી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડી હતી. ત્યારબાદ પતિએ એ જ હથિયારથી પોતાની લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી.અનૈતિક સંબંધોની શંકાએ વધાર્યો તણાવપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પત્ની અને તેના ભત્રીજા વચ્ચેના શંકાસ્પદ સંબંધોને કારણે છેલ્લા દોઢ મહિનાથી સતત ઝઘડાઓ ચાલતા હતા. પરિવારિક કંકાસ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લેતા અંતે આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટના બની.ઘાયલ પત્ની હોસ્પિટલમાં દાખલપત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેના સારવાર ચાલી રહી છે. પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.પોલીસની કાર્યવાહી ચાલુઘટનાસ્થળેથી ત્રણ કારતૂસ મળી આવ્યા છે. પોલીસ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી ક્રાઇમ સીન સીલ કર્યું છે અને વધુ તપાસ શરૂ કરી છે. ઘાયલ પત્નીનું નિવેદન લેવામાં આવશે, જેથી આ સમગ્ર પ્રકરણની હકીકત બહાર આવી શકે.આ હૃદયવિદારક ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે પરિવારિક વિવાદ અને શંકા કેવી રીતે ઝેરી સ્વરૂપ ધારણ કરી જીવલેણ પરિસ્થિતિ સર્જી શકે છે. Previous Post Next Post