રાજકોટ: જામનગર રોડ પર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો — જૂની ચોરીની રંજિશમાં યુવાનની કરાઈ હત્યા Oct 27, 2025 રાજકોટ શહેરમાં જામનગર રોડ પર થયેલી હત્યાના બનાવનો અંતે ભેદ ઉકેલાયો છે. ગત તારીખ 25 ઑક્ટોબરે થયેલી આ ઘટનામાં વિજય સોલંકી નામના યુવાનની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી ત્યારે સમગ્ર મામલો રંજિશનો હોવાનું સામે આવ્યું છે.માહિતી મુજબ, આરોપી ધર્મેશ નામના શખ્સે વિજય સોલંકીની હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિજય સોલંકીના કાકાએ અગાઉ આરોપી ધર્મેશના ઘરેથી ચોરી કરી હતી. આ ચોરીના બનાવને લઈને ધર્મેશના મનમાં ગુસ્સો અને રંજિશ પેદા થઈ હતી, જેના પરિણામે તેણે વિજય સોલંકીને નિશાન બનાવી મોતને ઘાટ ઉતાર્યો હતો.પોલીસે આરોપીની શોધખોળ બાદ ધર્મેશને ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ પણ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસની ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પૂછપરછ ચાલુ છે.આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ પોલીસે તાત્કાલિક પગલાં લઈને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. શહેર પોલીસ દ્વારા આ કેસને ગંભીરતાથી લઈ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે જેથી અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે પણ બહાર આવી શકે. Previous Post Next Post