સરકારી બફર સ્ટોકમાંથી વેચાણની તૈયારી, ખરીદીના લક્ષ્યાંકમાં ૨૫ ટકાનો ઘટાડો Aug 14, 2026 નવી દિલ્હી,ડુંગળીના ભાવ વધારો ચૂકવવા તૈયાર રહેજોદેશભરમાં ફરી એકવાર ડુંગળીના વધતા ભાવોએ સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જે સીધી રીતે સામાન્ય લોકોના રસોડાના બજેટ પર અસર કરશે. વધતી જતી મોંઘવારી વચ્ચે ડુંગળીના ભાવ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ નાખવા જઈ રહ્યા છે.મળતી માહિતી મુજબ, સરકાર ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી તેના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે, આ દિશામાં સરકારને આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિઝનમાં લઘુત્તમ ખાતરીપૂર્વકની ખરીદી કિંમતમાં સાત વખત વધારો કરવામાં આવ્યો હોવા છતાં, સરકાર ડુંગળીની ખરીદીનું લક્ષ્યાંક પૂરૂં કરી શકી નથી. સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, સરકારનું ડુંગળી ખરીદીનું વોલ્યુમ નિર્ધારિત ૨,૦૦,૦૦૦ ટનના લક્ષ્યાંકથી લગભગ ૨૫ ટકા ઓછું રહ્યું છે.બજારમાં ડુંગળીના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચેનું અસંતુલન માનવામાં આવી રહ્યું છે. ખરીદીના લક્ષ્યાંકમાં થયેલો ઘટાડો સૂચવે છે કે બજારમાં ડુંગળીની અછત વર્તાઈ શકે છે, જેના કારણે ભાવમાં સીધો ઉછાળો જોવા મળી શકે છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી સપ્તાહથી શાકભાજીના ભાવમાં વધારો થતા સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે.સરકાર દ્વારા બફર સ્ટોકમાંથી માલ બજારમાં મુક્યા બાદ ભાવમાં કેટલી રાહત મળે છે, તે જોવું હવે આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. હાલ તો ડુંગળીનો વધતો ભાવ દરેકના રસોડામાં ચર્ચાનો વિષય બન્યો છે. Previous Post Next Post