બોગસ બિયારણ માર્કેટ સુધી ન પહોંચે તે માટે ખાસ સિસ્ટમ અને નવો કાયદો આવશે Sep 10, 2026 નવી દિલ્હી,નકલી બિયારણ માટે હવે કડક કાયદાની તૈયારીનકલી અને ખરાબ બીજને કારણે પાક બરબાદ થવાની ખેડૂતોની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે બીજ કારોબાર પર સખત શિંકજો કસવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો બીજ ખરાબ નીકળે તો ખેડૂતની આખી મહેનત પાણીમાં જાય છે. આ જ કારણસર સરકાર હવે કડક સીડ એક્ટ લાવવા જઈ રહી છે.આગામી સમયમાં લાવવામાં આવનાર પ્રસ્તાવિત 'સીડ એક્ટ' અંતર્ગત અમાનક, મિલાવટી અને નકલી બીજ વેચનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.આવા દોષિતો વિરુદ્ધ ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવાની તૈયારી છે. સરકારની યોજના માત્ર ગુણવત્તા તપાસવાની નથી, પરંતુ બીજના ઉત્પાદનથી લઈને વેચાણ અને ખેડૂત સુધી પહોંચવાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની અને ટ્રેસિંગ કરવાની વ્યવસ્થા ઊભી કરવાની છે.આ કાયદાને આખરી રૂપ આપતા પહેલા કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દેશભરના ખેડૂત સંગઠનો પાસેથી સીધા જ સૂચનો મેળવી રહ્યા છે. આજે સાંજે ચાર વાગ્યે કૃષિ ભવન ખાતે રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન પણ બોલાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે સંસદના આગામી સત્રમાં કૃષિ ક્ષેત્રના આ ધારાસભા એજન્ડાને આગળ વધારતા પહેલા કાનૂનના મસૌદા પર ખેડૂતોની રાય લેવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ ચર્ચામાં દેશભરમાંથી અનેક મોટા સંગઠનો ભાગ લઈ રહ્યા છે. જેમાં મહાપંચાયત, ભારતીય કૃષક સમાજ, ગામ કિસાન ઉન્નયન અને સોસાયટી ફોર ઇન્ડિપેન્ડેન્ટ ફાર્મર્સ એસોસિએશન જેવા સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થશે.આ ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ભારતીય કિસાન સંઘ, બીકેયુના વિવિધ ઘટક, અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિ, તેમજ કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, ઝારખંડ અને કેરળ સહિતના વિવિધ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ પણ આ નવા પ્રસ્તાવિત કાયદા પર પોતાના મંતવ્યો રજૂ કરશે. Previous Post Next Post