દિવાળી સુધીમાં સકારાત્મક નિર્ણય લેવા અલ્ટીમેટમ: સાંસદ રૂપાલા સાથે મળીને કરશે રજૂઆત Aug 12, 2026 રાજકોટ,દુબઈ અને બેંગ્કોક માટે સીધી ફ્લાઈટની તાતી જરૂરિયાતરાજકોટના હીરાસર ખાતે કાર્યરત નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ થાય તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હવે આર-પારની લડાઈનો મિજાજ અપનાવ્યો છે. ચેમ્બરના પ્રમુખે આગામી દિવાળી સુધીનો સમયમર્યાદા (ડેડલાઈન) નક્કી કરી સરકારને આખરી ચીમકી ઉચ્ચારી છે.રાજકોટના વેપાર-ઉદ્યોગના વિકાસ માટે સીધું આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી હોવી અનિવાર્ય છે. ચેમ્બર ઓફ કોમર્સની માંગ છે કે રાજકોટથી દુબઈ, બેંગ્કોક અને મિડલ ઈસ્ટના વિવિધ દેશો માટે સીધી ફ્લાઈટ સેવાઓ શરૂ કરવામાં આવે. ઉદ્યોગપતિઓના મતે આ સેવાઓ શરૂ થવાથી સૌરાષ્ટ્રના વેપારને વૈશ્વિક વેગ મળશે અને નિકાસકારોને મોટો ફાયદો થશે.રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ કરાવવા ચેમ્બર મેદાનેઆ મહત્વપૂર્ણ માંગને સાકાર કરવા માટે ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સાંસદ પરસોત્તમ રૂપાલા સાથે મળીને કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતનો મારો ચલાવશે. ચેમ્બરે સ્પષ્ટ કર્યું છે કે દિવાળી સુધીમાં આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો વેપારી સંગઠનો વધુ આંદોલનાત્મક કાર્યક્રમો આપવા મજબૂર બનશે.સૌરાષ્ટ્રના વેપારી જગતની આ માંગણીને પગલે હવે આગામી દિવસોમાં એરપોર્ટ ઓથોરિટી અને સરકાર શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે. Previous Post Next Post