શિવરાજપુર ‘બ્લ્યૂ ફ્લેગ’ બીચ: સુંદરતા, સ્વચ્છતા અને સુવિધાઓથી સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું

શિવરાજપુર ‘બ્લ્યૂ ફ્લેગ’ બીચ: સુંદરતા, સ્વચ્છતા અને સુવિધાઓથી સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું

અવિશ્વસનીય કુદરતી સૌંદર્ય, સ્વચ્છતા અને સુવિધાઓના કારણે શિવરાજપુર બીચ હવે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર બીચ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. ‘બ્લ્યૂ ફ્લેગ’ પ્રમાણિત દરિયાકિનારો હોવાના કારણે આ બીચ માત્ર સ્થાનિક નહિ, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ લોકપ્રિય બન્યો છે.

આ દરિયાકિનારાની વિશેષતા તેની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આકર્ષક કુદરતી સૌંદર્યમાં પ્રતિબિંબિત થાય છે. દરિયાકિનારાની સફાઈ, સુરક્ષા અને સુવિધાઓને સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સંસ્થા અને રાજ્ય સરકારે અનેક પહેલ શરૂ કરી છે. પરિણામે, છેલ્લાં બે વર્ષમાં આ બીચ પર 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓની મુલાકાત નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે શિવરાજપુર બીચ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ આ વિસ્તારની આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. રાજ્ય સરકારે ‘ગ્લોબલ ટુરિઝમ હબ’ તરીકે ગુજરાતને વિશ્વ મંચ પર ઊભું કરવાનો મહત્વનો પ્રયાસ કર્યો છે. આ પ્રયત્નોમાં સરકારની વ્યૂહરચનાત્મક યોજનાઓ, પર્યાવરણપ્રેમી વિકાસ મોડલ અને પાયાની સુવિધાઓમાં સુધારા મહત્વના છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ન માત્ર સ્થાનિક અર્થતંત્રને ટેકો મળ્યો છે, પરંતુ રોજગાર અને લોકલ હસ્તકલા તથા સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળ્યું છે.

શિવરાજપુર બીચનું ‘બ્લ્યૂ ફ્લેગ’ પ્રમાણન એ દરિયાકિનારાના પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રમાણન મેળવવું સરળ નથી; તેમાં પાણીની ગુણવત્તા, દરિયાકિનારાની સફાઈ, સુરક્ષા વ્યવસ્થા, સ્ટ્રકચર અને પર્યાવરણ સંરક્ષણ માટેના પગલાં સહિત અનેક માપદંડોનો સમાવેશ થાય છે. આ સિદ્ધિએ શિવરાજપુર બીચને માત્ર સ્થાનિક નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ આપી છે.

આ ઉપરાંત, આ બીચ પર કાફે, વોટર સ્પોર્ટ્સ અને બીજા પર્યટન સવલતોને વધારવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સલામતી, આરામદાયક ગેઈટ વેકેશન અને કુદરતી સુંદરતા પ્રદાન કરવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓને કારણે આ બીચ પર આવતા પ્રવાસીઓ સતત વધતા જતા આંકડા અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિઓ નોંધાઈ રહી છે.

શિવરાજપુર બીચનું આ વિકાસ મોડેલ અન્ય દરિયાકિનારાઓ માટે પ્રેરણા રૂપ છે. રાજ્ય સરકાર, સ્થાનિક સમુદાય અને પ્રાયવેટ પાર્ટનર્સના સંયુક્ત પ્રયાસો દ્વારા, આ સ્થળ પર્યાવરણને નુકસાન કર્યા વિના પર્યટનને વિકસાવવાની શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયું છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની યોજનાઓ ગુજરાતને વિશ્વ સ્તરે પર્યટન હબ તરીકે ઓળખાવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ રીતે, શિવરાજપુર બીચ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ ગુજરાત રાજ્યની વિકાસયાત્રા અને પર્યાવરણપ્રેમી વિકાસનું પ્રતિક છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ બીચની આકર્ષકતા રોજબરોજ વધતી જાય છે, અને ભારતના કિનારાઓમાં શિવરાજપુરને એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે.

You may also like

રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં

રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી