26/11 હુમલો: કસાબ જીવતો પકડાયો ન હોત તો પાકિસ્તાનના આતંકી ચહેરાનું સાચું સત્ય દુનિયા સમજી ન શકેત Nov 26, 2025 26/11ના મુંબઈ પર થયેલો આતંકી હુમલો ભારતના ઈતિહાસનું સૌથી ભયાનક અને દુઃખદ પાનું છે. 17 વર્ષ પહેલાંની એ રાત આજે પણ દેશના હૃદયને હચમચાવે છે. પરંતુ એક સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે—જો આ હુમલાનો એકમાત્ર જીવતો આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો ન પકડાયો હોત, તો શું દુનિયા ક્યારેય આ હુમલાનું સત્ય જાણી શકત?જવાબ છે— કદાચ નહીં.કારણ કે આ સમગ્ર હુમલાનો જીવતો એકમાત્ર પુરાવો કસાબ જ હતો.જો કસાબ જીવતો ન પકડાયો હોત તો શું બને હોત?જો હુમલાની રાતે કસાબ માર્યો ગયો હોત, તો હુમલાખોરો કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા, કોણે તેમને મોકલ્યા – આના કોઈ સ્પષ્ટ પુરાવા ભારત પાસે ન હોત. દુનિયા ભારતને પૂછત—“ફક્ત પાકિસ્તાનનું નામ કેમ લો છો? પુરાવા ક્યાં છે?”પાકિસ્તાન તો તરત જ કહી દેત—“આ ભારતનો આંતરિક મામલો છે, અમારી કોઈ ભૂમિકા નથી!”આવી પરિસ્થિતિમાં 26/11ના હુમલાને રાજકીય આરોપ–પ્રત્યારોપનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો હોત. વિવિધ ખોટી વાર્તાઓ ઉભી થઈ હોત—કેટલાક કહે હોત કે આ દેશની અંદરનું ષડયંત્ર છે.કેટલાક કહે હોત આ કોઈ સ્થાનિક જૂથનું કામ છે.કોઈ પુરાવા વગર પાકિસ્તાન પર આંગળી ઉઠાવવી મુશ્કેલ બની જાત.દુનિયા પુરાવા માંગે, પરંતુ ભારત પાસે તે પુરાવા ન હોત.ASI તુકારામ ઓમ્બલેનું ઐતિહાસિક બલિદાન26/11નું સત્ય દુનિયા સુધી પહોંચ્યું તેનું સૌથી મોટું શ્રેય જાય છે મુંબઈ પોલીસના ASI તુકારામ ઓમ્બલેને.ઓમ્બલે સાહેબે પોતાના શરીરથી ગોળીઓ સહન કરી કસાબને જીવતો પકડ્યો.તેમણે ફક્ત એક આતંકવાદીને નથી પકડ્યો—તેમણે ભારતનું સત્ય બચાવ્યું.જો કસાબ જીવતો ન પકડાત, તો 166 નિર્દોષોની હત્યાનો જવાબદાર કોણ છે તે દુનિયા ક્યારેય જાણી ન શકત.પાકિસ્તાન પર દબાણ લાવવાનો સૌથી મોટો આધાર – કસાબકસાબ જીવતો પકડાયો એટલે—તેની ઓળખ સાબિત થઈતેનું ગામ, પરિવાર અને પાકિસ્તાન સાથેનો સંબંધ મળ્યોતાલીમ શિબિર, હેન્ડલર્સ, કોલ રેકોર્ડ—બધું મળ્યુંપાકિસ્તાનની જમીન પર તૈયાર થયેલા હુમલાનું પુરાવું મળી ગયુંઆ બધું એવુ પુરાવું હતું કે પાકિસ્તાન ચુપ થઈ ગયું.આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું.દુનિયા સમક્ષ પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો ઉઘાડો પડી ગયો.નાડાછડીનો ભ્રમ અને ખોટી કથાઓકસાબ પકડાયો ત્યારે તેના હાથમાં નાડાછડી બાંધેલી મળી હતી.જો એ જીવતો ન પકડાયો હોત તો આ નાડાછડીને આધારે એક ખતરનાક નેરેટિવ ઉભો થઈ શકત—“હુમલાખોર હિન્દુ હતા!”આ પ્રકારની ખોટી વાતો ભારતને ભયંકર રીતે ભટકાવી નાખત.કસાબના જીવતા હોવા છતાં પણ આ દાવો કરવાનો પ્રયાસ થયો હતો, જ્યારે એક વિવાદાસ્પદ પુસ્તક દ્વારા હુમલાનું દોષ RSS પર મૂકવામાં આવ્યું હતું.પરંતુ અંતે તપાસે સિદ્ધ કર્યું કે આ સમગ્ર હુમલો પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા ઓપરેટ થયો હતો.કસાબ વગર સમગ્ર ષડયંત્ર અજાણ રહેતકસાબની પૂછપરછથી જાણવા મળ્યું—પાકિસ્તાનમાં કયા લૉન્ચ પોઈન્ટ પરથી બોટ રવાના થઈકયા આતંકવાદી કેમ્પમાં ટ્રેનિંગ મળીપૈસા કોને આપ્યાહુમલાનો બ્લૂપ્રિન્ટ કોણે બનાવ્યોરેકી, કમ્યુનિકેશન અને ઓપરેશન કયા હેન્ડલર્સ ચલાવતાઆ બધું માહિતી વગર 26/11ની આખી સચ્ચાઈ ક્યારેય બહાર ના આવી શકત.ભૂતકાળની જગ્યાએ ખોટા સવાલોએ જગ્યા લીધી હોતજો કસાબ મરી જત, તો ભારતમાં પણ અનેક સવાલો ઊભા થઈ શકતા—શું આ ભારતીય જૂથોનું કામ છે?આતંકવાદી સ્થાનિક હતા?કોઈ આંતરિક રાજકીય હિત છે?કસાબની ધરપકડથી આ તમામ ગૂંચવણોનો અંત આવ્યો.કસાબ જીવતો પકડાયો એટલે—પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સામે ખુલ્લો પડી ગયો26/11નું સત્ય વિકૃત ન થયુંખોટા નેરેટિવ્સ અને રાજકારણ અટક્યુંહુમલાનું આખું નેટવર્ક બહાર આવ્યુંઆંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ન્યાય મળ્યોઅને આ બધું શક્ય બન્યું એક જ કારણથી—ASI તુકારામ ઓમ્બલેના અતુલ્ય બલિદાનથી. Previous Post Next Post