રાજકોટમાં 7 ડિસેમ્બરે સૂર્યકિરણ એરો શો: આકાશમાં હોક જેટ્સના દિલધડક સ્ટંટનું ભવ્ય પ્રદર્શન થશે

રાજકોટમાં 7 ડિસેમ્બરે સૂર્યકિરણ એરો શો: આકાશમાં હોક જેટ્સના દિલધડક સ્ટંટનું ભવ્ય પ્રદર્શન થશે

રાજકોટ શહેરમાં 7 ડિસેમ્બરે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમનું ભવ્ય એર શો યોજાશે. તાજેતરમાં કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થયેલા અદ્ભુત એર શોને જેમનો પ્રતિસાદ મળ્યો હતો, એ જ રોમાંચ હવે રાજકોટના આકાશમાં જોવા મળશે. મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જામનગરથી ઉડાન ભરતી વિમાનો રાજકોટના આકાશમાં વિવિધ કરતબો રજૂ કરશે.

સૂર્યકિરણ ટીમના 9 હોક જેટ્સ આકાશમાં ડાયમંડ ફોર્મેશન, લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, ઇન્વર્ટેડ ફ્લાઈટ જેવા અદ્ભુત સ્ટંટ રજૂ કરશે. ખાસ કરીને તિરંગા રંગના ધુમાડા સાથેનું ફ્લાયપાસ્ટ દર્શકોને દેશભક્તિથી ઓતપ્રોત કરી દેશે. પાયલટ્સ લગભગ 5 મીટર જેટલા નજીકના અંતરે વિમાનો ઉડાડી પોતાની ટીમ વર્ક, ચોકસાઈ અને શૌર્યનું પ્રદર્શન કરશે.

આ એર શોની રિહર્સલ 6 ડિસેમ્બરે થશે અને મુખ્ય કાર્યક્રમ 7 ડિસેમ્બરના રોજ લગભગ 40 મિનિટ ચાલશે. બાળકો અને યુવાનો માટે આ એક વિશેષ પ્રેરણાદાયક ક્ષણ બનશે, કારણ કે ભારતીય સશસ્ત્ર દળોની શૌર્યગાથા અવકાશમાં જીવંત જોઈ શકાશે.

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમની સ્થાપના 1996માં થઈ હતી અને આ ટીમે અત્યાર સુધી 900થી વધુ એરોબેટિક પ્રદર્શનો કર્યા છે. હાલમાં હોક એમ–132 જેટ વિમાનો આ ટીમનો ભાગ છે. ટીમમાં કુલ 13 પાયલટ્સ હોય છે, જેમાં નવ પાયલટ્સ એકસાથે ફોર્મેશન ફ્લાઈટ કરે છે.

રાજકોટમાં થનારો આ એર શો શહેર માટે ગૌરવ અને રોમાંચનું વિશેષ આકર્ષણ બની રહેશે, તે નિશ્ચિત છે.

You may also like

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!