ગુજરાતમાં ખેડૂત હિતલક્ષી નિર્ણય: ઓગસ્ટ-સપ્ટેમ્બર વરસાદથી નુકસાનવાળા પાક માટે સમાન વળતર Nov 11, 2025 ગાંધીનગર : ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદના કારણે જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેડૂતોના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. આ નુકશાનના પગલે રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક પગલાં ભર્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી જિતુ વાઘાણી દ્વારા રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજના અનુસાર એસડીઆરએફના ધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયેલા ખેડૂતોને સહાય આપવામાં આવશે.પ્રારંભિક યોજના મુજબ:બિનપિયત પાક માટે રૂ. 12,000 પ્રતિ હેક્ટરપિયત પાક માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટરબહુવર્ષાયુ પાકો માટે રૂ. 27,500 પ્રતિ હેક્ટરપરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંને માટે સમાન રૂ. 22,000 પ્રતિ હેક્ટર સહાય, બે હેક્ટરની મર્યાદામાં, આપવામાં આવવાનો નિર્ણય લેવાયો છે.આ સહાય પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત ખેડૂતો તરત જ અરજી કરી શકે છે. રાજ્ય સરકારના આ હિતલક્ષી નિર્ણયથી ખેડૂતોને ઓગસ્ટ-સપ્ટેમ્બરના ભારે વરસાદથી સર્જાયેલ નુકશાનનો આર્થિક રાહત મળશે અને તેઓ તેમના ખેતી જીવનમાં સુધારો કરી શકશે. Previous Post Next Post