જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગર શહેરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

માહિતી મુજબ, જામનગરના હનુમાન ટેકરી નજીકના કામળિયા વાસ વિસ્તારમાં રહેતા યુવક (ઉંમર 40) તા. 10મીના રોજ પોતાના ઘરનાં મંદિરનો પૂજાપાનો સામાન રણમલ તળાવમાં પધરાવવા ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ પાણીમાં પડી ગયા હતા અને બહાર આવી શક્યા ન હતા. પરિણામે તેમનું સ્થળ પર જ ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

ઘટના બાદ મૃતકની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સીટી એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવાર પર અચાનક આ ઘટનાથી શોકનો માહોલ છવાઈ ગયો છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ