આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી નીતિશ કુમાર રેડ્ડી બહાર : હવે રાજકોટમાં ઈન્ડિયા-A ટીમ સાથે જોડાશે

આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી નીતિશ કુમાર રેડ્ડી બહાર : હવે રાજકોટમાં ઈન્ડિયા-A ટીમ સાથે જોડાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો 14 નવેમ્બરથી કોલકાતામાં શરૂ થવાનો છે. તે પહેલાં જ ભારતીય ટીમને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પ્રથમ ટેસ્ટમાંથી રીલીઝ કરવામાં આવ્યા છે, અને હવે તે રાજકોટમાં ઈન્ડિયા-A ટીમ સાથે વન-ડે સીરિઝમાં ભાગ લેશે.

BCCIએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ માહિતી આપતા જણાવ્યું કે, નીતિશ રેડ્ડી હવે દક્ષિણ આફ્રિકા-A સામેની વન-ડે સીરિઝ માટે ઈન્ડિયા-A ટીમમાં જોડાશે. વન-ડે સીરિઝ પૂર્ણ થયા પછી તે ફરીથી બીજી ટેસ્ટ માટે ભારતીય મુખ્ય ટીમમાં સામેલ થશે.

ભારતીય ટીમના સહાયક કોચ રયાન ટેન ડોશેટે પણ આ નિર્ણયની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, રેડ્ડીના સ્થાને ધ્રુવ જુરેલને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે વિકેટકીપિંગની જવાબદારી રિષભ પંત સંભાળશે.

ધ્રુવ જુરેલ હાલમાં ઉત્કૃષ્ટ ફોર્મમાં છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી, તેમજ અગાઉ વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ સીરિઝમાં પણ શાનદાર સદી નોંધાવી હતી. તેથી તેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની દાવેદારી મજબૂત બની છે.

ટીમ મેનેજમેન્ટ અને કોચ ગૌતમ ગંભીરનો ઉદ્દેશ નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ફોર્મેટમાં એક સ્થિર ઓલરાઉન્ડર તરીકે વિકસાવવાનો છે. તે માટે તેમને સતત તકો આપવામાં આવી રહી છે. રેડ્ડીએ અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચમાં 386 રન નોંધાવ્યા છે અને 8 વિકેટ મેળવી છે.

હાલ માટે રેડ્ડી રાજકોટ જઈને ઈન્ડિયા-A ટીમમાં જોડાશે, જ્યારે કોલકાતા ટેસ્ટમાં ધ્રુવ જુરેલ ભારતીય ટીમ માટે નવી તક તરીકે ઉતરશે.

You may also like

LPG સંકટ વચ્ચે મોટી રાહત: 46,000 મેટ્રિક ટન ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

LPG સંકટ વચ્ચે મોટી રાહત: 46,000 મેટ્રિક ટન ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી યોજના: LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી યોજના: LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

મીન રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ: ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને ધનલાભના નવા અવસર

મીન રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ: ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને ધનલાભના નવા અવસર