રાજકોટના નવાગામમાં કરુણ ઘટના: માતાએ બે દીકરીઓની હત્યા બાદ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

રાજકોટના નવાગામમાં કરુણ ઘટના: માતાએ બે દીકરીઓની હત્યા બાદ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા શક્તિ સોસાયટીમાં દિલ દ્રવી જાય તેવી દુર્ઘટના સામે આવી છે. અહીં નિવાસ કરતી 32 વર્ષની અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે નાની દીકરીઓ – 7 વર્ષની પ્રિયાંશી સોલંકી અને 5 વર્ષની હર્ષિતા સોલંકીની ગળેફાંસો આપી હત્યા કરી હતી. તે બાદ અસ્મિતાબેન પોતે પણ છત ઉપર ખૂંટીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

ઘટના અંગે જાણ થતાં તરત જ પોલીસના વિભાગો ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હત્યા અને આપઘાત પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરિવારજનોથી લઈને આસપાસના લોકો સુધી બધા જ આ દુર્ઘટનાથી હચમચી ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, જેના કારણે અસ્મિતાબેને આવા ગંભીર પગલા શા માટે ભરી લીધા તે અંગે પોલીસ તપાસ આગળ વધી રહી છે.

પોલીસે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળનું વૈજ્ઞાનિક તપાસ કાર્ય પૂરું કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ હકીકત વધુ સ્પષ્ટ બનશે.

સમગ્ર નવાગામ વિસ્તારમાં આ ઘટના બાદ શોક અને ચકચાર ફેલાઈ છે. ત્રણેય સભ્યોના આકસ્મિક મોતથી વિસ્તારના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

You may also like

એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo અને 18 Pro સીરિઝ લોન્ચ

એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo અને 18 Pro સીરિઝ લોન્ચ

ગુજરાતની 5400 શાખાના 75 હજાર કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે: 15 હજાર કરોડ ના બેન્કિંગ વ્યવહારો ખોરવાશે

ગુજરાતની 5400 શાખાના 75 હજાર કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે: 15 હજાર કરોડ ના બેન્કિંગ વ્યવહારો ખોરવાશે

સિંગતેલના ડબ્બા દીઠ રૂ. 50નો સીધો ઉછાળો, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયાં

સિંગતેલના ડબ્બા દીઠ રૂ. 50નો સીધો ઉછાળો, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયાં

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી