સાયબર ફ્રોડ અટકાવવા કેન્દ્ર સરકારનું મોટું પગલું: હવે સિમ વગર મેસેજિંગ એપ નહિ ચાલે Dec 01, 2025 ભારતમાં વધી રહેલા સાયબર ક્રાઇમ, ફ્રોડ અને નકલી એકાઉન્ટથી પડકારો વચ્ચે કેન્દ્ર સરકારે મેસેજિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર થયેલા નવા નિયમો મુજબ હવે વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ, સિગ્નલ સહિત તમામ OTP આધારીત મેસેજિંગ એપ્સ ફક્ત ત્યારે જ કામ કરશે જ્યારે યુઝરના ફોનમાં સિમ કાર્ડ એક્ટિવ હશે. આ પગલું આગામી 90 દિવસમાં દેશભરમાં અમલમાં આવશે.સરકારનું માનવું છે કે આ નિયમોના અમલીકરણ બાદ સાયબર છેતરપિંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે, નકલી એકાઉન્ટ પર નિયંત્રણ મળશે અને સ્પામ-ફ્રોડ જેવી ઘટનાઓમાં મોટા પાયે ઘટાડો થશે.સિમ કાઢતાં જ WhatsApp–Telegram બંધ! ડેસ્કટોપ પર 6 કલાકે થશે Auto Logoutદૂરસંચાર વિભાગ (DoT) દ્વારા જાહેર કરાયેલ આદેશ અનુસાર હવે જો તમે મોબાઈલમાંથી સિમ કાઢી દો તો:વોટ્સએપટેલિગ્રામસ્નેપચેટસિગ્નલશેરચેટજિયોમેટઅરાટાઈઝોરાજવાં મેસેજિંગ પ્લેટફોર્મ તરત જ બંધ થઈ જશે.ડેસ્કટોપ અને લેપટોપ પર લોગિન કરનારાઓ માટે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મેસેજિંગ એપ્સને દર 6 કલાકે યુઝરને Auto Logout કરવું પડશે. પુનઃ લોગિન કરવા માટે મોબાઈલથી નવું QR સ્કેન કરવું ફરજિયાત રહેશે.90 દિવસમાં નિયમ પાલન ફરજિયાત, નહિ તો કાર્યવાહીબધા મોટા OTT મેસેજિંગ પ્લેટફોર્મને 90 દિવસની અંદર નવો સિસ્ટમ અમલમાં મૂકવો પડશે. 120 દિવસમાં સરકારને રિપોર્ટ સુપ્રત કરવો પડશે.નિયમ તોડનાર કંપનીઓ સામે:Telecommunication ActTelecom Cyber Security Rulesઅંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે.નવો નિયમ કેમ લાવવામાં આવ્યો?સરકાર મુજબ છેલ્લા કેટલાય વર્ષોમાં સાયબર ફ્રોડમાં અતિશય વધારો થયો હતો. મોટા પ્રમાણમાં આવી ઘટનાઓમાં ઇનએક્ટિવ અથવા ખોટી ઓળખના નંબરનો ઉપયોગ થતો હતો.આ નિયમથી નીચેના ફાયદા થશે:બંધ/ઇનએક્ટિવ નંબરનો ખોટો ઉપયોગ અટકશેસાયબર ફ્રોડ, સ્પામ અને નકલી એકાઉન્ટ પર નિયંત્રણયુઝરની ઓળખમાં પારદર્શિતા (KYC)બંધ નંબર અન્ય યુઝરને ફાળવો ત્યારે કોઈ સિક્યુરિટી જોખમ નહિ રહેહાલ એપ્સ કેવી રીતે ચલાવવામાં આવે છે?અત્યારે યુઝર કોઈપણ મોબાઈલ નંબરથી OTP વેરિફાય કરી એપ ચલાવી શકે છે.એકવાર વેરિફિકેશન થઈ જાય પછી:નંબર બંધ થઈ જાય…સિમ કાઢી દેવાય…મોબાઈલ નેટવર્ક ન હોય…તો પણ એપ ચાલુ જ રહતી હતી.આ loophole નો ઉપયોગ ઘણા સાયબર ગુનેગારો વર્ષોથી કરતા આવ્યા છે.નવા નિયમ બાદ શું બદલાશે?નવા નિયમ અનુસાર:મોબાઈલ નંબર inactive → એપ તરત inactiveસિમ ફરી એક્ટિવ થયા પછી જ લોગિન શક્યનંબર બંધ કરવો એટલે એપ આપમેળે બંધજૂનો ઇનએક્ટિવ સિમ લઈને WhatsApp/Telegram એકાઉન્ટ બનાવવું હવે અશક્યસિસ્ટમમાં તે નંબર “invalid” અથવા “inactive” તરીકે દેખાશેડેસ્કટોપ/લેપટોપ પર શું ફેરફાર?હાલમાં ડેસ્કટોપ પર વોટ્સએપ/ટેલિગ્રામ એકવાર લિંક થઈ જાય તો તે મોબાઈલથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ કાર્ય કરે છે.પરંતુ હવે:દર 6 કલાકે ફરજિયાત Logoutફરી QR સ્કેન કર્યા વગર એપ નહિ ચાલેયુઝરના ફોનમાં સિમ એક્ટિવ હોવું ફરજિયાતકઈ કઈ એપ્સ પર અસર પડશે?આ નિયમોથી અસર થશે:WhatsApp, Telegram, Snapchat, SignaliMessageFacebook/Instagram નંબર-લિંક લોગિનGoogle/Apple ID નંબર આધારિત રિકવરીUPI બેન્કિંગ એપ્સKYC અને OTP આધારિત કોલિંગ એપ્સમોટા ભાગની નંબર-આધારિત સર્વિસ SIM Binding સિસ્ટમથી પ્રભાવિત થશે.શું છે SIM Binding નિયમ?“સિમ બાઇન્ડિંગ” એટલે સિમ એક નિશ્ચિત ડિવાઇસ સાથે સ્થાયી રીતે જોડાઈ જાય. જો સિમ બીજા ફોનમાં નાખવામાં આવે તો:મોબાઈલ વોલેટબેન્કિંગ એપOTP આધારિત લોગિનમેસેજિંગ એપજેવી ઘણી સંવેદનશીલ સર્વિસ આપમેળે બંધ થઈ જશે.કેન્દ્ર સરકારે શરૂ કરેલો આ નવો સિસ્ટમ દેશની સાયબર સુરક્ષા માટે મોટું અને જરૂરી પગલું માનવામાં આવે છે. આથી:છેતરપિંડી ઘટશેખોટા એકાઉન્ટ બંધ થશેસાયબર ક્રાઇમ પર નિયંત્રણ મળશેદરેક યુઝરનું ડિજિટલ આઈડેન્ટિટી વધુ સુરક્ષિત બનશેઆગામી મહિનાઓમાં ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમમાં આ બદલાવનો મોટો અસરકારક પ્રભાવ જોવા મળશે. Previous Post Next Post