રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરથી મળશે સુવિધા: ટિકિટના દરમાં સવા ગણો વધારો Aug 21, 2026 રાજકોટ,રક્ષાબંધન-જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રમાંથી દોડશે 66 વધારાની સ્પેશિયલ બસોરક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો નિમિત્તે વતનમાં જતા તેમજ બહારગામ ફરવા જતા મુસાફરોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ડેપોમાંથી 66 જેટલી વધારાની (એક્સ્ટ્રા) બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ બસો આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે.એસ.ટી. વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા મુખ્ય મથકો પરથી અમદાવાદ, ભાવનગર, સુરત અને ભુજ જેવા લાંબા અંતરના રૂટ પર આ વધારાની બસો ફાળવવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે તહેવારો દરમિયાન મુસાફરોને કન્ફર્મ સીટ મળી રહે અને લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.તહેવારોના સમયે એસ.ટી. નિગમ દ્વારા દોડાવવામાં આવતી વધારાની સ્પેશિયલ બસોમાં નિયમ મુજબ સામાન્ય ભાડા કરતાં સવા ગણું ભાડું વસૂલવામાં આવશે. મુસાફરોએ ટિકિટ બુકિંગ વખતે કે મુસાફરી દરમિયાન આ અંગેની નોંધ લેવી જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા આ બસોનું સંચાલન કુશળતાપૂર્વક થાય અને મુસાફરોને સમયસર તેમની ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકાય તે માટે ખાસ મોનિટરિંગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. Previous Post Next Post