વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમજ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના ભાગરૂપે વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વેરાવળ ચોપાટી ખાતે વિશાળ દિવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિર આજ રોજ બપોરે 4.30 થી સાંજે 6.00 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર-સોમનાથ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાશે.

શિબિર દરમિયાન ભાગ લેનાર નાગરિકોને મેદસ્વિતા દૂર કરવા માટેના ખાસ આસનો, પ્રાણાયામ, અને વ્યાયામ કરાવવામાં આવશે. સાથે જ ધ્યાન (મેડિટેશન), કમર સંબંધિત આસનો, તેમજ લાફિંગ થેરાપી જેવા પ્રયોગો પણ કરાવવામાં આવશે.

આ યોગ શિબિરનો હેતુ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો અને શરીર-મનના સંતુલન દ્વારા મેદસ્વિતાને ઘટાડવાનો છે. કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને હાજરી આપવા આહ્વાન કરવામાં આવ્યું છે જેથી ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું સ્વપ્ન સાકાર બની શકે.

You may also like

અમેરિકાના નવા ટેરિફ માળખા પછી જ ભારત-અમેરિકા ટ્રેડ ડીલને મળશે અંતિમ મંજૂરી

અમેરિકાના નવા ટેરિફ માળખા પછી જ ભારત-અમેરિકા ટ્રેડ ડીલને મળશે અંતિમ મંજૂરી

હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા વગર નહીં મળે રાહત: વૈશ્વિક ક્રૂડ બજારમાં વધતી અનિશ્ચિતતા

હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા વગર નહીં મળે રાહત: વૈશ્વિક ક્રૂડ બજારમાં વધતી અનિશ્ચિતતા

IPL 2026: અભિષેક શર્મા બનશે કેપ્ટન! આગામી સિઝન પહેલા મોટો ફેરફાર થવાની શક્યતા

IPL 2026: અભિષેક શર્મા બનશે કેપ્ટન! આગામી સિઝન પહેલા મોટો ફેરફાર થવાની શક્યતા

રાજકોટમાં ગેસ નિયમોમાં મોટો ફેરફાર: LPG અને PNGમાંથી એક જ કનેક્શન રાખવાનું ફરજિયાત

રાજકોટમાં ગેસ નિયમોમાં મોટો ફેરફાર: LPG અને PNGમાંથી એક જ કનેક્શન રાખવાનું ફરજિયાત