તૃણમૂલ કોંગ્રેસ છોડનારા 17 બળવાખોર સાંસદોને ભાજપમાં આશ્રય નહી મળે Sep 16, 2026 કોલકત્તા,ભાજપમાં ભળી જવાની આશાએ ટીએમસી છોડનારાઓ ન ઘરના રહ્યા ન ઘાટનાપશ્ચિમ બંગાળમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે તૃણમૂલ કોંગ્રેસના 17 બળવાખોર સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. જો કે, રાજ્યમાં ભાજપની કમાન સંભાળી રહેલા શમિક ભટ્ટાચાર્યએ આ તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીની હાલમાં આવા કોઈ પણ નેતાઓને સામેલ કરવાની કોઈ યોજના નથી. ભટ્ટાચાર્યએ કટાક્ષ કરતા કહ્યું કે પાર્ટી માત્ર એટલા માટે કોઈને સામેલ નહીં કરે કે તે ભાજપમાં આવવા માંગે છે. તેમણે સવાલ કર્યો કે શું આ 'મંગળ ગ્રહવાળી ભાજપ' છે?સાંસદ જગદીશચંદ્ર બાસુનિયાએ દાવો કર્યો હતો કે દુર્ગા પૂજા પહેલાં અથવા પછી 17 સાંસદો ભાજપમાં જોડાઈ શકે છે. આ દાવો એવું પણ કહેવા માટે કરવામાં આવ્યો હતો કે આ નેતાઓ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીથી બચવા માંગે છે. આ બળવાખોર નેતાઓમાં કોકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંધોપાધ્યાય, સાયોની ઘોષ, યુસુફ પઠાણ, શતાબ્દી રાય, અબુ તાહેર સહિત કુલ 20 નામ સામેલ છે. કેટલાક મુસ્લિમ સાંસદોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપમાં નથી જઈ રહ્યા પરંતુ એનડીએને સમર્થન આપી રહ્યા છે.રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જેને લઈને રાજકીય પારો ચરમસીમા પર છે. બળવાખોર નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડવાની અને ગઠબંધન થવાની સંભાવના વ્યક્ત કરી છે. વરિષ્ઠ નેતા કોકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે ચૂંટણી નજીક આવતા જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમથી બંગાળના રાજકારણમાં નવું મહત્ત્વપૂર્ણ સમીકરણ સર્જાઈ રહ્યું છે, જેના પર રાજકીય નિષ્ણાતોની વિશેષ નજર ટકેલી છે. Previous Post Next Post