રણવીરની ‘ધુરંધર’ સાત કલાકના શૂટ બાદ બે ભાગમાં રીલિઝ કરવાનો મહત્વનો નિર્ણય

રણવીરની ‘ધુરંધર’ સાત કલાકના શૂટ બાદ બે ભાગમાં રીલિઝ કરવાનો મહત્વનો નિર્ણય

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ માટે આગામી ફિલ્મ ‘ધુરંધર’ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી તેમની કારકિર્દી સ્થિર નથી રહી, અને આ ફિલ્મને તેઓ કમબેક પ્રોજેક્ટ તરીકે જોતા હોવાનું માનવામાં આવે છે.

ફિલ્મનું કુલ શૂટિંગ સાત કલાકથી વધુ થયું છે. એડિટિંગ દરમિયાન ફિલ્મનું ફુટેજ એટલું વિશાળ નીકળ્યું કે ફિલ્મમેકર્સે તેને બે ભાગમાં રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. જાણકારી મુજબ પહેલો ભાગ આવતા ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો ભાગ છ મહિના બાદ રીલિઝ થવાની શક્યતા છે.

'ધુરંધર'માં રણવીર સિંહ સાથે આર. માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ જેવા મજબૂત કલાકારોની મહત્વપૂર્ણ ભૂમિકાઓ જોવા મળશે.

રણવીરના છેલ્લા બે વર્ષ નિષ્ક્રિય રહ્યા હતા. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' બાદ તેમની કોઈ મોટી સફળ ફિલ્મ નથી આવી. હાલ તેમની પાસે 'ધુરંધર' અને ત્યારબાદ ‘ડોન 3’ સિવાય અન્ય કોઈ મોટું પ્રોજેક્ટ નથી. તાજેતરમાં જાહેર થયેલી તેમની ત્રણ ફિલ્મો પણ સ્થગિત થઇ ગઈ છે.

ફેન્સ હવે 'ધુરંધર'ને રણવીરની કારકિર્દી માટે નવી દિશા આપતી ફિલ્મ તરીકે જોઈ રહ્યા છે.

You may also like

બગદાણા હુમલા કેસમાં SITની મોટી કાર્યવાહી: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, તપાસ વધુ તેજ

બગદાણા હુમલા કેસમાં SITની મોટી કાર્યવાહી: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, તપાસ વધુ તેજ

જય શ્રી રામના નારા સાથે અમિત શાહનું નિવેદન, યોગી સરકારથી ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક પરિવર્તન વિકાસ અને સુરક્ષા

જય શ્રી રામના નારા સાથે અમિત શાહનું નિવેદન, યોગી સરકારથી ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક પરિવર્તન વિકાસ અને સુરક્ષા

25 થી 31 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

25 થી 31 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યવંશી સામે ઇતિહાસની તક, સરફરાઝનો રેકોર્ડ તૂટે તે શક્ય

અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યવંશી સામે ઇતિહાસની તક, સરફરાઝનો રેકોર્ડ તૂટે તે શક્ય