ઓછા ફોર્સની ફરિયાદોના નિકાલ માટે તંત્રનો નિર્ણય, રવિવારની રાત્રિથી જ પાણી પુરવઠામાં કાપ અમલી Aug 14, 2026 રાજકોટ,રાજકોટનાં વોર્ડ નં. ૪ની ૧૦૦થી વધુ સોસાયટીઓમાં સોમવારે પાણી કાપપવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટના વોર્ડ નંબર-૪માં વસતા હજારો નાગરિકોએ પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે. વોર્ડ નંબર-૪ હેઠળ આવતી ૧૦૦થી વધુ સોસાયટીઓમાં તા. ૧૭ ઓગષ્ટના રોજ પાણીનું વિતરણ સદંતર બંધ રાખવાનો મનપાના તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી આ વોર્ડ વિસ્તારના રહીશો દ્વારા પાણીના ઓછા ફોર્સ અંગેની ફરિયાદો કરવામાં આવી રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને અને પાણી પુરવઠા વ્યવસ્થાને સુધારવાના હેતુથી તંત્રએ આ આકરો નિર્ણય લીધો છે. પાણીના ઓછા ફોર્સની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે મેઈન લાઈનમાં જરૂરી સમારકામ તથા ટેકનિકલ સુધારા કરવાના હોવાથી આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે.તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારની રાત્રિથી જ પાણી પુરવઠામાં કાપની સ્થિતિ શરૂ થઈ જશે, જેના કારણે સોમવારે સવારના સમયે પાણી વિતરણ થઈ શકશે નહીં. તંત્રએ વોર્ડ નંબર-૪ના અસરગ્રસ્ત સોસાયટીઓના રહીશોને આ બાબતની નોંધ લેવા અને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરી છે, જેથી સોમવારના દિવસે કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે. મનપાના આ પગલાથી આગામી દિવસોમાં પાણીના ફોર્સમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post