રાજકોટમાં ત્રણ સરકારી શાળાઓનું સંચાલન SNK ગ્રૂપ પાસે જ રાખવા વાલીઓની માંગ Aug 14, 2026 રાજકોટ,શિક્ષણ સમિતિ અને મેયરને કરાઈ લેખિત રજૂઆતરાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ત્રણ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓના 900થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ શાળાઓનું સંચાલન હાલમાં એસ.એન.કે. ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ વ્યવસ્થામાં ફેરફાર થવાની અટકળો વચ્ચે વાલીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. વાલીઓએ શિક્ષણ સમિતિના ચેરમેન અને મેયરને લેખિત રજૂઆત કરી એવી માંગ કરી છે કે, શાળાઓનું સંચાલન જે-તે સંસ્થા પાસે જ યથાવત રાખવામાં આવે.વાલીઓનું માનવું છે કે, છેલ્લા કેટલાક સમયથી SNK ગ્રૂપના સંચાલન હેઠળ આ શાળાઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ મળી રહી છે. જો અચાનક સંચાલન વ્યવસ્થા બદલવામાં આવે, તો બાળકોના અભ્યાસક્રમ અને શૈક્ષણિક વાતાવરણ પર તેની સીધી વિપરીત અસર પડી શકે છે. વાલીઓએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, બાળકોની શૈક્ષણિક કારકિર્દીના હિતમાં સંચાલન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચાડવો જોઈએ.આ સમગ્ર મામલે વાલીઓએ તંત્ર સામે એવી લાગણી વ્યક્ત કરી છે કે, કોઈપણ સરકારી નિર્ણય લેતા પહેલા તે બાળકોના શિક્ષણ પર કેવી અસર કરશે તેનો ગહન અભ્યાસ થવો અત્યંત જરૂરી છે. વાલીઓએ આશા વ્યક્ત કરી છે કે, શહેરના પદાધિકારીઓ અને શિક્ષણ સમિતિ આ ગંભીર બાબતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેશે, જેથી 900થી વધુ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. Previous Post Next Post