બિહાર પ્રવાસને લઈને સીએમનો જામનગર કાર્યક્રમ મુલતવી, વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણમાં ફેરફાર

બિહાર પ્રવાસને લઈને સીએમનો જામનગર કાર્યક્રમ મુલતવી, વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણમાં ફેરફાર

જામનગરમાં રૂ. 226 કરોડના ખર્ચે તૈયાર થયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર સહિત અનેક વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત માટે 20મી નવેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ હવે આ તારીખમાં ફેરફાર કરાયો છે.

મળતી માહિતી પ્રમાણે, બિહાર ચૂંટણીના પરિણામો બાદ ત્યાંના નવા મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભુપેન્દ્રભાઈ પટેલને બિહાર જવાનો કાર્યક્રમ નિશ્ચિત થયો છે. આ કારણે 20મી નવેમ્બરના રોજ જામનગરમાં થનારા લોકાર્પણ કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો છે. હવે આ માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જામનગરમાં સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધીનો ફ્લાયઓવર વર્ષ 2021થી બનાવવામાં આવી રહ્યો હતો, જે હવે સંપૂર્ણ તૈયાર થયો છે. મહાનગરપાલિકા તંત્ર અને અધિકારીઓએ ઉદ્ઘાટન માટેની તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ સીએમના પ્રોટોકોલ મુજબ સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાનો બાકી હતો તે અગાઉ જ બિહાર પ્રવાસ નક્કી થવાથી આ નિર્ણય લેવાયો છે.

સૂત્રો મુજબ, આગામી દિવસોમાં ફ્લાયઓવર અને અન્ય વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ માટે નવી તારીખ જાહેર થશે. શહેરના પ્રજાજનો હવે સત્તાવાર કાર્યક્રમની નવી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

You may also like

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!