ખંભાળિયામાં વિઝા પૂર્ણ થયેલા સીરીયન નાગરિક ઝડપાયો, શાળા સંચાલકની અટકાયત સાથે કાર્યવાહી શરૂ

ખંભાળિયામાં વિઝા પૂર્ણ થયેલા સીરીયન નાગરિક ઝડપાયો, શાળા સંચાલકની અટકાયત સાથે કાર્યવાહી શરૂ

ખંભાળિયા: એક વર્ષથી વિઝા પૂર્ણ થઈ ચૂકેલા સીરીયા દેશના નાગરિક અલી કામેલ મઈહબ (ઉંમર 29) ખંભાળિયામાં રહેનાર હોવાનાં પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે દરોડો ફેરીને તેને ધરપકડ કરી હતી. અલી પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા, જે 14 માર્ચ 2020 ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ વિઝા રીન્યુ કરાયો પણ છેલ્લી તારીખ 5 જુલાઈ 2023 ના રોજ પૂરી થઈ ગઈ હતી. ત્યાર પછીના સમય દરમિયાન તેની પાસે માન્ય વિઝા નહોતી.

પોલીસ તપાસમાં ખુલ્યું કે અલી સીરીયાના મૂળ રહેવાસી છે અને તેણે ભારતમાં રહીને સ્ટુડન્ટ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જોકે, ચિત્તોડમાં વધુ અભ્યાસ માટે વિઝા ન હોવાથી તે પાછો સીરીયા જવાનું ટાળી રહ્યો હતો અને ખંભાળિયામાં રહેતા શાળા સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉંવ. 33) સાથે રહેતો હતો. બંને વચ્ચે સામાજિક અને વ્યક્તિગત સંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું.

એસ.ઓ.જી.એ અલી પાસેથી પાસપોર્ટ અને વિઝા સંબંધિત દસ્તાવેજો માંગીતા તેણે જુદા જુદા પાસપોર્ટ રજૂ કર્યા હતા. નોંધનીય છે કે, વિઝા ઉપરાંત તે રેફ્યુજી કાર્ડ ધરાવતો હોવાનું જણાવ્યું હતું, પણ પોલીસને તેની માન્યતાને લઈને શંકા ઊભી થઈ.

આ કેસમાં શાળા સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા અને શાળાની એડમીન ઓફિસના સંબંધિત કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટાફ અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ધરપકડના પગલે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ શખ્સની મવમેન્ટ ઉપર નજર રાખવામાં આવશે અને તેની તપાસ હાથ ધરવામાં આવશે.

You may also like

ઓલિમ્પિક 2036 માટે ગુજરાત-ઓસ્ટ્રેલિયા સહયોગ મજબૂત: CM ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર સાથે બેઠક કરી

ઓલિમ્પિક 2036 માટે ગુજરાત-ઓસ્ટ્રેલિયા સહયોગ મજબૂત: CM ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર સાથે બેઠક કરી

વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ, આજથી મુસાફરો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ

વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ, આજથી મુસાફરો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ

આજે ઠંડીમાં મહદ અંશે રાહત, નલિયામાં 10.4 ડિગ્રી; આવતીકાલથી ફરી ક્રમશઃ તાપમાન ઘટવાની આગાહી

આજે ઠંડીમાં મહદ અંશે રાહત, નલિયામાં 10.4 ડિગ્રી; આવતીકાલથી ફરી ક્રમશઃ તાપમાન ઘટવાની આગાહી

રણજી ટ્રોફી રાજકોટ: રવિન્દ્ર જાડેજા નિષ્ફળ, પંજાબ સામે સૌરાષ્ટ્ર 172 રનમાં ઓલઆઉટ, 7 બેટર સિંગલ ડિજિટ

રણજી ટ્રોફી રાજકોટ: રવિન્દ્ર જાડેજા નિષ્ફળ, પંજાબ સામે સૌરાષ્ટ્ર 172 રનમાં ઓલઆઉટ, 7 બેટર સિંગલ ડિજિટ