ખંભાળિયામાં વિઝા પૂર્ણ થયેલા સીરીયન નાગરિક ઝડપાયો, શાળા સંચાલકની અટકાયત સાથે કાર્યવાહી શરૂ

ખંભાળિયામાં વિઝા પૂર્ણ થયેલા સીરીયન નાગરિક ઝડપાયો, શાળા સંચાલકની અટકાયત સાથે કાર્યવાહી શરૂ

ખંભાળિયા: એક વર્ષથી વિઝા પૂર્ણ થઈ ચૂકેલા સીરીયા દેશના નાગરિક અલી કામેલ મઈહબ (ઉંમર 29) ખંભાળિયામાં રહેનાર હોવાનાં પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે દરોડો ફેરીને તેને ધરપકડ કરી હતી. અલી પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા, જે 14 માર્ચ 2020 ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ વિઝા રીન્યુ કરાયો પણ છેલ્લી તારીખ 5 જુલાઈ 2023 ના રોજ પૂરી થઈ ગઈ હતી. ત્યાર પછીના સમય દરમિયાન તેની પાસે માન્ય વિઝા નહોતી.

પોલીસ તપાસમાં ખુલ્યું કે અલી સીરીયાના મૂળ રહેવાસી છે અને તેણે ભારતમાં રહીને સ્ટુડન્ટ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જોકે, ચિત્તોડમાં વધુ અભ્યાસ માટે વિઝા ન હોવાથી તે પાછો સીરીયા જવાનું ટાળી રહ્યો હતો અને ખંભાળિયામાં રહેતા શાળા સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉંવ. 33) સાથે રહેતો હતો. બંને વચ્ચે સામાજિક અને વ્યક્તિગત સંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું.

એસ.ઓ.જી.એ અલી પાસેથી પાસપોર્ટ અને વિઝા સંબંધિત દસ્તાવેજો માંગીતા તેણે જુદા જુદા પાસપોર્ટ રજૂ કર્યા હતા. નોંધનીય છે કે, વિઝા ઉપરાંત તે રેફ્યુજી કાર્ડ ધરાવતો હોવાનું જણાવ્યું હતું, પણ પોલીસને તેની માન્યતાને લઈને શંકા ઊભી થઈ.

આ કેસમાં શાળા સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા અને શાળાની એડમીન ઓફિસના સંબંધિત કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટાફ અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ધરપકડના પગલે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ શખ્સની મવમેન્ટ ઉપર નજર રાખવામાં આવશે અને તેની તપાસ હાથ ધરવામાં આવશે.

You may also like

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!