જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગયા

જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગયા

આજે જસદણમાં માનવતાને શર્મસાર કરતી એક ભયાનક ઘટના સામે આવી છે. અજાણ્યા નિર્દયી માતા-પિતાએ પોતાના નવજાત શિશુને જન્મ આપ્યા પછી જીવતેઈ કાંટાની વાડમાં ફેંકી ફરાર થયા.

માહિતી મુજબ, જસદણના ગંગા ભુવન વિસ્તારમાં, પ્રમુખ પાર્ક નજીક કાંટાની જાળી વચ્ચે બાળક ફસાયેલો મળ્યો હતો. નાનું બાળક લગભગ બે કલાકથી કાંટામાં ફસાયેલું રડી રહ્યું હતું. પ્રથમ લોકોએ રડવાનો અવાજ સાંભળ્યો, પરંતુ તે ક્યાંથી આવતો તે જાણી શક્યા ન હતા.

જ્યારે અવાજ બંધ ન થયો, ત્યારે સ્થાનિક નાગરિકોએ શોધખોળ શરૂ કરી અને બાળકને કાંટાની વાડમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા. તરત જ 108 એમ્બ્યુલન્સ અને જસદણ પોલીસને જાણ કરવામાં આવી, અને બાળકને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને બાળકને છોડનાર નિર્દયી માતા-પિતાના વિરોધમાં ગુનો નોંધ્યો અને તેમની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર પંથકમાં લોકો આ ઘટનાને લઈને આક્રોશિત થયા છે અને બાળકના સુરક્ષિત બચાવ માટે પોલીસ તાકીદની કામગીરી કરી રહી છે.

You may also like

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુ વચ્ચેનું આ રાશિ પરિવર્તન તારીખ 11 એપ્રિલ 2026 30 એપ્રિલ 2026 સુધી રહેશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!