દિલ્હી બ્લાસ્ટ પર ફિલ્મ જગતનું શોક: આમિર ખાનથી લઈને અલ્લૂ અર્જુન સુધીના સ્ટાર્સે વ્યક્ત કરી સંવેદના

દિલ્હી બ્લાસ્ટ પર ફિલ્મ જગતનું શોક: આમિર ખાનથી લઈને અલ્લૂ અર્જુન સુધીના સ્ટાર્સે વ્યક્ત કરી સંવેદના

દિલ્હી : રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લા નજીક આવેલા મેટ્રો સ્ટેશન પાસે થયેલા ભયાનક કાર બ્લાસ્ટથી આખો દેશ હચમચી ગયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતા જોતા સરકારે તપાસ એનઆઈએને સોંપી છે અને કાશ્મીરથી 3 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાએ માત્ર દેશવાસીઓને જ નહીં, પરંતુ બોલિવૂડ અને સાઉથ સિનેમા જગતને પણ ગમગીન કરી દીધું છે.

અલ્લૂ અર્જુનનો સંદેશ:
સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુને પોતાની X પોસ્ટમાં લખ્યું — “દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલી આ દુઃખદ ઘટના વિશે જાણીને હું ખૂબ જ વ્યથિત છું. પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઈશ્વર કરે કે ફરી એક વાર શાંતિ અને સુરક્ષા સ્થાપિત થાય.”

આમિર ખાન પ્રોડક્શન હાઉસની પ્રતિક્રિયા:
અભિનેતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું — “દિલ્હી બ્લાસ્ટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે છીએ.”

સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયા:
એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું — “લાલ કિલ્લા બ્લાસ્ટથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. દિલ્હીએ હંમેશાં મજબૂતપણે મુશ્કેલીઓને સામનો કર્યો છે. આશા છે કે શહેર જલદી સામાન્ય સ્થિતિમાં આવશે.”

રાજકુમાર રાવનું શોક સંદેશ:
અભિનેતા રાજકુમાર રાવે બ્લાસ્ટના સમાચાર સાંભળીને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે તૂટેલા દિલનું ઈમોજી પોસ્ટ કરીને મૃતકો અને ઘાયલો માટે પ્રાર્થના કરી.

કરણ જૌહર અને હુમા કુરૈશીનો સંદેશ:
ફિલ્મમેકર કરણ જૌહરે પોતાના પોસ્ટમાં લખ્યું — “દિલ્હી બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના પરિવાર પ્રત્યે હું હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. સૌ સુરક્ષિત રહો અને સતર્ક રહો.”
હુમા કુરૈશીએ પણ પોતાની સ્ટોરીમાં તૂટેલા દિલનું ઈમોજી શેર કરીને ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું.

અન્ય સેલિબ્રિટીઓની પ્રતિક્રિયા:
અભિનેત્રી રવિના ટંડન, તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય અને તેમની પાર્ટી ટીવીકે, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર, વિનીત કુમાર, સોનુ સૂદ, ઈશાન ખટ્ટર અને નિમરત કૌર જેવા અનેક કલાકારોએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

આ ઘટનાએ સમગ્ર ફિલ્મ ઉદ્યોગને હચમચાવી દીધું છે. સૌએ એકસુરે સંદેશ આપ્યો છે કે આતંક સામે દેશ એક છે અને માનવતા હંમેશાં જીવંત રહેશે.
દિલ્હી પોલીસ અને એનઆઈએ દ્વારા હાલ તપાસ ચાલુ છે, જ્યારે મૃતકોની ઓળખ માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ દુઃખદ ઘટનાએ ફરી એક વાર દેશને સતર્ક રહેવાની અને શાંતિ જાળવવાની યાદ અપાવી છે.

You may also like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ